Home / Lifestyle / Beauty : Yogurt is not only beneficial for health but also for the skin.

Beauty Tips  : દહીં માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ત્વચા માટે પણ છે ફાયદાકારક 

Beauty Tips  : દહીં માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ત્વચા માટે પણ છે ફાયદાકારક 

ઋતુ ગમે તે હોય દહીં આપણા ભારતીયોની જીવનશૈલીનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ભારતીય રસોડામાં તેનો ઉપયોગ ઘણી રીતે થાય છે. સદીઓથી દહીંનો ઉપયોગ ફક્ત ખોરાકમાં માટે જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય અને સ્કિન કેર માટે પણ કરવામાં આવે છે. પણ પ્રશ્ન એ છે કે શું તે તમારી ત્વચા માટે સારું છે? તેના જવાબ હા છે, દહીં માત્ર સ્વાસ્થ્ય માટે જ સારું નથી પણ એકંદર ત્વચાના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું છે. તમે તેને ખાઓ કે ચહેરા પર લગાવો, થોડા દિવસોમાં જ તમને તેના ફાયદા દેખાવા લાગશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ત્વચારોગ નિષ્ણાતે જણાવ્યું હતું કે ત્વચા પર દહીં લગાવવાથી કોઈ આડઅસર થતી નથી કારણ કે દૂધમાં લેક્ટોઝ હોય છે. જ્યારે દૂધમાંથી દહીં બનાવવામાં આવે છે, ત્યારે આ લેક્ટોઝ લેક્ટિક એસિડમાં રૂપાંતરિત થાય છે. લેક્ટિક એસિડ ત્વચા માટે ખૂબ જ સારું હોય છે. જો કોઈ વ્યક્તિ પોતાના ચહેરા પર લેક્ટિક એસિડ લગાવીને રાતભર સૂઈ જાય છે, તો તેની ત્વચા આખો દિવસ હાઇડ્રેટેડ રહેશે અને સવારે ઉઠ્યા પછી તેનો ચહેરો ચમકતો અને તાજો દેખાશે.

આ તેના ફાયદા છે, પરંતુ જે લોકોને એલર્જી હોય અથવા કોઈપણ પ્રકારની ત્વચાની સમસ્યા હોય, ખંજવાળ હોય કે બળતરા થતી હોય તેણે આ કરવાનું ટાળવું જોઈએ.

પ્રોબાયોટિક્સથી ભરપૂર

દહીંમાં સ્વસ્થ બેક્ટેરિયા હોય છે જે આંતરડાના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. સ્વસ્થ આંતરડાનો સીધો સંબંધ સ્વચ્છ અને વધુ ચમકતી ત્વચા સાથે છે. જો આંતરડાના સ્વાસ્થ્યના સ્વસ્થ બેક્ટેરિયા ખલેલ પહોંચે તો તેનાથી ચહેરા પર ખીલ, સોજો અને સુસ્તી આવી શકે છે. દરરોજ દહીંનું સેવન કરવાથી પાચનમાં મદદ મળી શકે છે અને આંતરિક બળતરા ઓછી થઈ શકે છે.

વિટામિનથી ભરપૂર

દહીંમાં B12 અને B2 (રિબોફ્લેવિન) જેવા આવશ્યક વિટામિન હોય છે, જે મૃત ત્વચા કોષોને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં ઝિંક અને કેલ્શિયમ પણ હોય છે જે ત્વચાને ચમકદાર રાખવામાં મદદ કરે છે.

બળતરા ઘટાડે છે

દહીં શરીરને કુદરતી રીતે ઠંડુ પાડે છે, એટલે કે તે અંદરથી ગરમી ઘટાડવામાં મદદ કરે છે. આ ત્વચા પર ખીલ, ફોલ્લીઓ અથવા બળતરા ઘટાડે છે.

પ્રોટીન

દહીંમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે જે ક્ષતિગ્રસ્ત કોષોને સુધારવામાં ફાયદાકારક છે. દહીં અકાળ વૃદ્ધત્વ અટકાવવા અને ત્વચાને નુકસાન થતું અટકાવવામાં ખૂબ જ ફાયદાકારક છે.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની ત્વચા અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

 

 

 

Related News

Icon