ઘણા લોકો નવરાત્રી નિમિત્તે 9 દિવસ ઉપવાસ રાખતા હોય છે. ચૈત્ર નવરાત્રી 9 એપ્રિલથી શરૂ થઈ રહી છે અને 17 માર્ચ સુધી ચાલશે. હિન્દુ ધર્મમાં નવરાત્રીના નવ દિવસનું વિશેષ મહત્ત્વ છે. દર વર્ષે નવરાત્રીના પવિત્ર અવસર પર, ભક્તો દેવી દુર્ગાની પ્રાર્થના કરવા માટે ઉપવાસ કરે છે. હવે નવરાત્રી દરમિયાન, કેટલાક લોકો પ્રથમ એકથી બે દિવસ અને છેલ્લા એકથી બે દિવસ માટે જ ઉપવાસ રાખે છે, જ્યારે કેટલાક લોકો 9 દિવસના ઉપવાસ રાખે છે. તમને જણાવી દઈએ કે ઉપવાસ તમારા શરીર માટે ફાયદાકારક છે. તે તમારા શરીરને ડિટોક્સિફાય કરવાની એક સરસ રીત છે કારણ કે તે શરીરમાંથી હાનિકારક ટોક્સીનને બહાર કાઢવામાં મદદ કરે છે. પરંતુ ઉપવાસના કારણે ઘણા લોકો થાક અને સુસ્તી અનુભવવા લાગે છે. તો આજે અમે તમને નવરાત્રી દરમિયાન તમારા શરીરમાં એનર્જી જાળવી રાખવ અને તમારી જાતને સ્વસ્થ રાખવાની કેટલીક ટિપ્સ જણાવીશું.

