ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 669 એશિયાટિક સિંહના મૃત્યુ થયા છે. જેમાં છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો સૌથી વધુ 165 મૃત્યુ વર્ષ 2024 દરમિયાન થયા હતા. રાજ્યસભામાં અપાયેલી માહિતી અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછા 117 મૃત્યુ 2022ના વર્ષમાં નોંધાયા હતા.

