Sabarkantha news: રાજ્ય સરકાર સહિત ગૃહવિભાગ દ્વારા વ્યાજખોરો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઈડરના શ્રીનગર વિસ્તારમાં રહેતાં ધીરેન પંડ્યા નામના યુવાને વ્યાજખોરોના ત્રાસને પગલે પોતાનું ઘર છોડી વ્યાજખોરો દ્વારા કરવામાં આવતી હેરાનગતિ સહિત માનસિક હેરેસમેન્ટ જેવી વેદના ઠાલવતી ચિઠ્ઠી ધરે છોડી ત્રણ દિવસથી ધરેથી કહ્યા વિના નીકળી ગયો છે. ધીરેન પંડ્યા નામના યુવાને વ્યાજખોરોના ત્રાસને લઈ ધર છોડતા સમયે મૂકીને ગયેલા ચિઠ્ઠીમાં પરિવારે શોધવાનો પ્રયાસ ન કરવો સહિત વ્યાજખોરોએ વાહનો પડાવી લીધા હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો છે.. પરિવારે ઈડર પોલીસ મથકે ચિઠ્ઠી સહિત લેખિત અરજી આપી વ્યાજખોરો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે...

