અમદાવાદમાં ગતરોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી, ત્યારે આજે અષાઢ સુદ ત્રીજના દિવસે ભગવાન જગન્નાથની નજર ઉતાર્યા બાદ ભગવાનનો વિધિવત રીતે ગર્ભગૃહમાં પ્રવેશ કરાવવામાં આવશે.આ ક્ષણનો લ્હાવો લેવા વહેલી સવારથી જ મંદિરે દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા.

