Home / : Keep vegetables and fruits fresh in this way

sahiyar : આવી રીતે શાકભાજી અને ફળને રાખો તાજા

sahiyar : આવી રીતે શાકભાજી અને ફળને રાખો તાજા

મીનાક્ષી તિવારી

-લીંબુના અડધિયાને બે-ત્રણ દિવસ તાજું રાખવા તેના પર મીઠું લગાડીને રાખવા.
-કાચા લીલા કેળાને પાણીમાં રાખવાથી થોડા દિવસ તાજા રાખી શકાશે ઉપરાંત જલદી પાકશે નહીં.
-સ્ટીલની ગરણીને જ્વાળા પર રાખી ધોવાથી તેના પૂરાયેલાં છિદ્રો ખુલી જશે અને ગરણી સ્વચ્છ થઇ જશે.
-બટાકાની ચિપ્સને સફેદ કરવા તેને ફટકડી મેળવેલ ઠંડા પાણીમાં પલાળવી. 
-બટાકાને બાફતી વખતે તેમાં થોડા ટીપા વિનેગારના ભેળવવાથી બટાકા ફાટી નહીં જાય તેમજ તેની સફેદાઇ જળવાઇ રહેશે.
-બદામને એક-દોઢ વરસ તાજી રાખવા બદામના ડબ્બામાં બે-ત્રણ ચમચા સાકર ભેળવી દેવી.
-રવા ઇડલીને મુલાયમ બનાવવા અડધી ચમચી 'ઇનો' ફૂટ સોલ્ટને દહીંની મલાઇમાં ભેળવવો. અને એક ચમચી ઘી ઇડલી ઉતારવાના બે મિનિટ પહેલાં રવાના મિશ્રણમાં નાખવી.  રવો શેકેલો લેવો.
-લીમડાને લાંબા સમય સુધી તાજો રાખવા પાનને બે મિનિટ માઇક્રોવેવમાં મુકવાથી શેકાઇ જતા તેની સુગંધ પણ જળવાઇ રહેશે.
-ઘીના પેકેટને એક-બે કલાક ફ્રિજરમાં રાખી બરણીમાં ઠાલવવાથી સરળતાથી ઠલવાઇ જશે અને પ્લાસ્ટિકની થેલીમાં ચોંટી બગાડ નહીં થાય.
-ચોખામાં જીંવાત ન પડે માટે એક કિલો ચોખામાં ૧૦ લાલ સૂકા મરચાં રાખી મૂકવા. 
-વાસણમાંથી ઇંડાની ગંધ દૂર કરવા તે વાસણમાં બ્રેડ ફેરવવો. એટલે કે બ્રેડથી વાસણ લૂછી નાખવું.  માછલી રાંધતી વખતે તેની દુર્ગંધ દૂર કરવા રાંધતી વખતે તજના ટૂકડા મૂકી દેવા.
-એક કપ ઉકળતા પાણીમાં લીંબુ નીચોવી દિવસમાં બે-ત્રણ વખત પીવાથી શરદીમાં રાહત મળે છે.
-શીતોપલાદી ચૂરણ અને સુદર્શન ચૂરણ અડધી- અડધી ચમચી ભેળવી મધ સાથે દિવસમાં ત્રણ વખત પીવાથી લાભ થાય છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

Icon