સુરતની નબળી નેતાગીરીના કારણે આ વર્ષે ફરી એક વાર સુરતમાં ખાડી પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. સુરતમાં ખાડી પૂર અટકાવવા માટે વહિવટી તંત્ર સાથે છ મહિના પહેલા પ્રભારી મંત્રીની હાજરીમાં ખાડીમાં આવેલા ઝીંગાના તળાવ દુર કરવા માટે રજુઆત થઈ હતી અને કામગીરી માટે સુચના પણ અપાઈ હતી. જોકે, છ મહિના બાદ પણ કામગીરી ન થતાં આજે સુરતના મેયરે કલેક્ટરને પત્ર લખીને ભીમપોર ગામ પાસે આવેલ ઝીંગા તળાવોના દબાણો દુર કરી જમીનને સમથળ કરવા પત્ર લખવો પડ્યો છે.

