સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ગજેરા સર્કલ પાસે નિર્માણાધીન રત્નમાળા ફ્લાયઓવરનો કામ વધુ સમયથી ધીમે ધીમે ચાલતું હતું. જેથી સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણીએ સ્થળ પર મુલાકાત લીધી હતી. મેયરે સ્થાનિક અધિકારીઓ અને પ્રોજેક્ટના ઇજારદારો સાથે બેઠક કરીને પ્રગતિ અંગે માહિતી લીધી હતી. સ્થળ પર હાજર રહી પ્રોજેક્ટની સ્થિતિની સમીક્ષા કરી હતી.

