અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે દબાણોને લઈને 28 મેના રોજ બીજા તબક્કો શરૂ કરવામાં આવ્યો. જેમાં વહેલી સવારથી જ જેસીબી સહિતના મશીનો ઘટનાસ્થળે પહોંચાડી દેવાયા હતા. આ તબક્કામાં ગરીબ નવાઝ મસ્જિદ, હનુમાનજી મંદિર અને દશામાના મંદિર સહિતના 4 ગેરકાયદે ધર્મસ્થળ તોડી પાડવામાં આવ્યા છે.

