Bharuch news: રાજ્યમાં કૌભાંડનો સીલસીલો યથાવત્ છે. આ વખતે વારો છે ભરૂચ જિલ્લાનો. ભરૂચ જિલ્લામાં ચકચારી મનરેગા કૌભાંડ સામે આવ્યા બાદ તંત્રએ કર્મચારીઓ સામે તવાઈ બોલાવી છે. સરકારી તંત્રએ કુલ 21 કર્મચારીઓને સસ્પેન્ડ કરવાના પગલાં લીધા છે. કરાર આધારિત એપીઓ, ટેક્નિકલ આસિસ્ટંટ, એકાઉન્ટ આસિસ્ટંટ મળી 21 કર્મચારીઓને સેવામાંથી દૂર કરવામાં આવ્યા છે. જેમાં આમોદના 5, હાંસોટના 1, જંબુસરના છ કર્મચારીઓનો સમાવેશ થાય છે.

