ગુજરાતમાં જાણે હત્યાનો સિલસિલો યથાવતરુપે જોવા મળી રહ્યો છે. તેમ પંચમહાલમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ડુમેલાવ ગામના જંગલમાંથી પરિણીતાનો મૃતદેહ મળી આવ્યો છે. ગોધરા તાલુકાના કુંડલા ગામની પરિણીતાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી પ્રમાણે, રંજનબેન કેવળભાઈ પટેલ નામની આશરે ૩૦ વર્ષની પરિણીતાનો મૃતદેહ મળી આવ્યો છે.

