છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે પાણી પુરવઠા, જળ સંસાધન મંત્રી કુંવરજી બાવળિયાએ અર્જુન નાથ મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી. ઉચ્છ નદી ઉપર વર્ષો પૌરાણિક અર્જુનનાથ મહાદેવ મંદિર આવેલ છે. મંદિરનું ધોવાણ થતા બે કરોડના ખર્ચે પ્રોટેક્શન વોલ મંજૂર કરવામાં આવી છે. તેના નિરીક્ષણ માટે બાવળિયા આવ્યા હતાં. સંખેડા ખાતે આવેલા કુંવરજી બાવળિયા સિંચાઈ મંત્રીને પંચાયત મંત્રી બચુ ખાબડના પુત્રના મનરેગા યોજનાના કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી તેનો સવાલ કરતા જ મંત્રીની બોલતી બંધ થઈ ગઈ હતી. મને ખબર નથી તેમ કહીને ચાલતી પકડી હતી.

