Rajkot news: રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર બોગસ મેડિક્લેમ કેસમાં એસીપી ડૉ.રાધિકા ભારાઈનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમને જણાવ્યું કે, આરોપી ડૉ.અંકિતનો જેલમાંથી સંપૂર્ણ કબ્જો લઈને આ કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બોગસ રિપોર્ટના આધારે રૂપિયયા 22 લાખથી વધુની રકમનો મેડિકલેમ પકવવાના કારસ્તાન અંગે અગાઉ ફરિયાદ નોંધાઈ ચુકી છે. જેમાં આ કેસમાં ડૉ.અંકિત કાથરાણી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ચુકી છે.

