Murshidabad Violence : વક્ફ બિલ કાયદા મુદ્દે પશ્ચિમ બંગાળમાં વિરોધ-પ્રદર્શનો અને હિંસા ફાટી નીકળ્યા બાદ રાજકારણ શરૂ થઈ ગયું છે. મુર્શિદાબાદમાં કથિત રીતે હિન્દુ સમાજના લોકોને ભગાડ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળના ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, ‘જે વિસ્તારોમાં હિંસા થઈ છે, ત્યાંથી હિન્દુઓને ભાગવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે.’

