નર્મદા જિલ્લાના એકતાનગરના ગોરા ગામમાં ત્રણ નર્મદા પ્રોજેક્ટના અસરગ્રસ્તો પોતાના હક અને ન્યાયની માંગ સાથે આજે ટાવર પર ચડી જતા ભારે હલચલ મચી ગઈ છે. લોખંડના ટાવર પર કાળઝાળ ગરમીમાં કલાકોથી બેઠેલા આ ત્રણ યુવકોની તબિયત હવે લથડી રહી છે, કારણ કે તાપમાન ઉંચું છે, ટાવર તપતોય છે અને અસરગ્રસ્તો પાસે પીવાનું પાણી પણ ઉપલબ્ધ નથી.

