Chhota Udepur News: ગુજરાતમાંથી સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં છોટાઉદેપુરમાંથી એક ગંભીર અકસ્માતના સમાચાર મળી રહ્યા છે. બેફામ ટ્રક ચાલકે રસ્તાની બાજુમાં ઉભેલા રાહદારીને ટક્કર મારી હતી જેમાં રાહદારીનું મોત થયું હતું. છોટાઉદેપુરમાં નસવાડીના કિસ્મત ટોકીઝ વિસ્તારમાં ટ્રક ડ્રાઈવરે બેફામ ટ્રક ચલાવી રોડની સાઈડમાં ઉભેલા 25 વર્ષીય અજયભાઇ નિવલાભાઈને ટક્કર મારતા પીડિતનું ઘટના સ્થળે મોત થયું હતું.

