તાજેતરમાં કરાયેલા એક અભ્યાસમાં અકાળ બાળ જન્મ અને વાયુ પ્રદૂષણ વચ્ચેની કડીનો પર્દાફાશ થયો છે. એન્વાયર્નમેન્ટલ સાયન્સ એન્ડ ટેકનોલોજીકલ જનરલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં બે ઘટકો કોર્ટેક્સોલોન અને લાઈસોપી (20:3) ઓળખી કઢાયા છે જેનાથી ટૂંક સમય માટે પણ વાયુ પ્રદૂષણના સંપર્કમાં આવવાથી અકાળ જન્મનું જોખમ વધી જાય છે. ખાસ કરીને શહેરોમાં ભારે ગીચ વિસ્તારોમાં આ જોખમ વધુ રહે છે. જોખમની ગંભીરતા જોતા નિષ્ણાતોએ સગર્ભા મહિલાઓ અને નવજાત બાળકોને તકેદારીના પગલા લઈને સાવચેત રહેવાની સલાહ આપી છે.

