ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. ત્યારે હિન્દુ મરાઠા પાટીલ સમાજના બ્રેઈનડેડ કિરણભાઈ મોરેશ્વરભાઈ પાટીલ ઉ.વ ૪૫ ના કિડની અને ચક્ષુઓનું દાન પાટીલ પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી કરી ચાર વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.

