ડોક્ટરની ક્લિનિકલ જાહેરાતને અવગણીને વીમા ક્લેઈમ નકારનાર રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીને સુરત જિલ્લા ગ્રાહક ફોરમે કડક પાટો ફેરવ્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે દર્દીને દાખલ કરવો કે નહીં તેનો નિર્ણય માત્ર તબીબ જ લઈ શકે. વીમા કંપની નહીં. કોર્ટે આ આધારે દર્દીને રૂપિયા 1.42 લાખની રકમ ચૂકવવાનો કંપનીને આદેશ આપ્યો છે. જેનો રાજ્ય ગ્રાહક કમિશને પણ સમર્થન કર્યું છે.

