Pahalgam Attack: જમ્મુ કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત 26 ભારતીયોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં સુરતના એક યુવક અને ભાવનગરના પિતા-પુત્રનું પણ મોત નીપજ્યું છે. ત્યારે આ આતંકવાદી હુમલાં બચી ગયેલા 17 લોકો પણ ભાવનગર પરત ફર્યા છે. 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં ફસાયેલા આ ભાવનગરના ગ્રુપને થયેલા દર્દનાક અનુભવ બાદ અગાઉ છ લોકો શ્રીનગરથી મુંબઇ અને પછી ભાવનગર પહોંચ્યા હતા. જ્યારે બાકીના 11 લોકો પોલીસ સુરક્ષા સાથે ગુરૂવારે રાત્રે ભાવનગર પરત ફર્યા છે.

