આજે, 1 જૂને, IPL 2025 ફાઈનલમાં પહોંચવા માટે પંજાબ કિંગ્સ (PBKS) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ક્વોલિફાયર-2માં ટકરાશે. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની PBKSની ટીમ ક્વોલિફાયર-1માં હારી ગઈ હતી, તેમાં તેની બેટિંગ સંપૂર્ણપણે ફ્લોપ રહી હતી, જ્યારે હાર્દિક પંડ્યા અને ટીમે એ જ પીચ પર એલિમિનેટર મેચમાં 200થી વધુ રન બનાવ્યા હતા. આજે જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટે ઝડપથી વિકેટ લેવી પડશે, જ્યારે પંજાબ તરફથી પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, જોશ ઈંગ્લિસ પર સારી શરૂઆત આપવાની જવાબદારી રહેશે. આજના મુકાબલામાં પંજાબ અને મુંબઈના કેટલાક ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર થશે. ચાલો તમને તેના વિશે જણાવીએ.

