
ગઈકાલે સાંજે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સ (PBKS) એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 245 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. શ્રેયસ અય્યરે શાનદાર બેટિંગ કરી અને 36 બોલમાં 82 રન બનાવ્યા હતા. પરંતુ ટાર્ગેટ ચેઝ કરતી વખતે, અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે પંજાબના બોલરો સામે આક્રમક ઈનિંગ રમી અને પ્રથમ વિકેટ માટે 171 રનની પાર્ટનરશિપ કરી. અભિષેકે 141 રનની ઐતિહાસિક ઈનિંગ રમી, જેની મદદથી સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને 9 બોલ બાકી રહેતા 8 વિકેટે જીત મળી હતી.
મેચ પછી, શ્રેયસ અય્યરે જણાવ્યું કે ટીમ ક્યાં પાછળ રહી અને શા માટે હારી ગઈ. અય્યરે કહ્યું, "તે એક શાનદાર સ્કોર હતો. જે રીતે તેઓએ બે ઓવર (9 બોલ) બાકી રહેતા ટાર્ગેટ ચેઝ કર્યો, તેનાથી મને ખૂબ હસવું આવે છે."
PBKSની ટીમ ક્યાં ચૂકી ગઈ?
શ્રેયસ અય્યરે કહ્યું, "અમે બે શાનદાર કેચ ઝડપી શક્યા હોત. અભિષેક શર્મા થોડો નસીબદાર હતો, જોકે તેણે શાનદાર ઈનિંગ રમી હતી. કેચ તમને મેચ જીતાડે છે અને અમે ત્યાં પાછળ રહી ગયા. અમે સારી બોલિંગ નહતી કરી, પરંતુ અમારે ડ્રાઇવિંગ બોર્ડ પર પાછા ફરવું પડશે. તેમણે જે રીતે ઓપનિંગ પાર્ટનરશિપ બનાવી તે શાનદાર હતું. મારી તરફથી રોટેશન થોડું સારું થઈ શક્યું હોત."
લોકીની ઈજા અંગે અય્યરે કહ્યું, "તેનો મોટો પ્રભાવ પડ્યો. તે એક એવો ખેલાડી છે જે તમને તરત જ વિકેટ અપાવી શકે છે. તે એક મોટો ઝટકો હતો. તે એક એવો બોલર છે જે હંમેશા 140ની ઝડપે બોલિંગ કરે છે. અન્ય બોલરો પણ મેચ જીતાડવા માટે હોય છે. તેથી કોઈ બહાનું નથી. જ્યારે અમે ચર્ચા કરી, ત્યારે અમને લાગ્યું કે 230 એક સારો સ્કોર હતો. આ IPLમાં મેં જોયેલી શ્રેષ્ઠ ઈનિંગ્સમાંની એક હતી."
અભિષેક શર્માએ શાનદાર ઈનિંગ રમી
અભિષેક અને ટ્રેવિસ હેડે 246 રનના ટાર્ગેટને સામાન્ય બનાવી દીધો, અને પ્રથમ વિકેટ માટે 171 રનની પાર્ટનરશિપ કરી. હેડ આઉટ થયો ત્યારે SRHનો સ્કોર 12.2 ઓવરમાં 171 રન હતો. આ પછી પણ, અભિષેકની તોફાની ઈનિંગ ચાલુ રહી, તેણે 40 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી. તેણે 55 બોલમાં 141 રનની ઐતિહાસિક ઈનિંગ રમી, જે IPLના ઈતિહાસમાં કોઈ ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે.