અમદાવાદમાં 12 જૂન, 2025ના બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં 270થી વધુના લોકોના મોત નીપજ્યા છે. પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)ની ઉચ્ચ-સ્તરીય ટીમ અમદાવાદ પહોંચી છે અને બે દિવસ ગુજરાતમાં રહેશે. ટીમનું નેતૃત્વ વડાપ્રધાનના મહાસચિવ પી.કે. મિશ્રા કરી રહ્યા છે. આ ટીમનો ઉદ્દેશ્ય રાહત, બચાવ અને તપાસ કામગીરી પર નિગરાની રાખવાનો છે. રાજ્યના મુખ્યમંત્રી, પોલીસ મહાનિદેશક(DGP) અને અધિક મુખ્ય સચિવ (ગૃહ) સાથે PMOની ટીમની મહત્ત્વપૂર્ણ બેઠકો થશે. જેમાં દુર્ઘટના બાદ સંકલન અને સહાય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

