સનાતન ધર્મમાં નાળાછડી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય, પૂજા, હવન પહેલાં કાંડા પર દોરો બાંધવાનો નિયમ છે. આને રક્ષાસૂત્ર કહેવામાં આવે છે, જેમાં વૃક્ષો, છોડ અને પવિત્ર વસ્તુઓ પર પણ દોરો બાંધવાનો નિયમ છે. નાળાછડીને ઉત્તર ભારતમાં કલાવા તરીકે પણ ઓળખવામાં આવે છે. કોઈપણ પૂજા કરતા પહેલા રક્ષાસૂત્ર પણ તાંબાના કળશ પર બાંધવામાં આવે છે. શું તમને ખબર છે કે આવું શા માટે કરવામાં આવે છે?

