કોંગ્રેસ દ્વારા પ્રથમ વખત પ્રમુખ બનાવવા માટે કાર્યકરોનું મંતવ્ય અને મિટિંગનો કાર્યક્રમ ગોઠવીને કોન્સેન્સ લીધો હતો. જેમા પ્રદેશમાંથી વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને મહારાષ્ટ્ર ના ધારાસભ્ય માજી મંત્રી અસ્લમભાઇ શેખ હાજર રહ્યા હતાં. કોંગ્રેસના માજી વિપક્ષના નેતા અને જિલ્લા પ્રમુખો તાલુકા પ્રમુખો કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં જે લોકો મૃત્યુ પામ્યા હતા. તેઓની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

