સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશનના વિકાસ માટે રજૂઆત કરવામાં આવી છે. ઉત્રાણ રેલવે સ્ટેશન રાજ્યનું જૂનામાં જૂનું રેલવે સ્ટેશન છે. પરંતુ ટ્રેનો ન ઉભી રહેતી હોવાથી જોઈએ તેટલો વિકાસ થઈ શક્યો નથી. જેથી કોંગ્રેસના પ્રવક્તા દ્વારા સુરતના સાંસદને ઉત્રાણ રેલવે સ્ટેશનના વિકાસ માટે પત્ર લખવામાં આવ્યો છે.

