અમરેલીના રાજુલા પંથકમાં ભારે વરસાદ બાદ નદીઓમાં નવા નીરનો નોંધપાત્ર આવક થઈ છે. ત્યારે રાજુલાના ઉટિયાથી રાજપરડા ગામે જતા રસ્તા પર નદીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. તણાયેલી કાર બ્રિજ નીચે ફસાઈ હતી. કારમાં ફસાયેલી અન્ય વ્યક્તિને બહાર કાઢવા સ્થાનિકો તેમજ તંત્ર દ્વારા જેસીબી મશીનથી બ્રીજ તોડવા સહિતની કામગીરી કરવામાં આવી હતી.

