Ahmedabad news: દેશમાં આ પ્રકારનો પ્રથમ અને ખૂબ જટિલ પ્રકારનો કેસ હોવાથી હાઈકોર્ટે આ કેસની ગંભીરતા જોઈને ત્યારબાદ મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. કારણ કે, રાજકોટમાં દુષ્કર્મનો ભોગ બનેલી માત્ર 13 વર્ષની સગીરાને ગર્ભપાત કરાવવો પડે તેમ હતો અને વળી સગીરા એનિમિયાથી પીડિત હતી. જેથી ગુજરાત હાઈકોર્ટે રાજકોટની પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલના તબીબ નિરીક્ષણ બાદ મંજૂરી આપી હતી.

