Home / Entertainment : Aamir Khan is going make the biopic of Dadasaheb Phalke

દાદાસાહેબ ફાળકેની બાયોપિક બનાવશે આમિર ખાન, ફરી એકવાર કરશે આ ડાયરેક્ટર સાથે કામ

દાદાસાહેબ ફાળકેની બાયોપિક બનાવશે આમિર ખાન, ફરી એકવાર કરશે આ ડાયરેક્ટર સાથે કામ

દાદાસાહેબ ફાળકેને ભારતીય સિનેમાના પિતા કહેવામાં આવે છે. તેમણે જ ભારતીય ફિલ્મોનો પાયો નાખ્યો હતો. એટલા માટે સિનેમાનો સૌથી મોટા પુરસ્કાર 'દાદા સાહેબ ફાળકે એવોર્ડ' તેમના નામ પરથી છે. દાદા સાહેબના જીવન અને ફિલ્મો અંગેની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. હવે આ વાર્તા મોટા પડદા પર પણ જોવા મળશે.દાદાસાહેબ ફાળકે પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આમિર ખાન બનાવશે ફિલ્મ

હવે બધાને ભારતીય સિનેમા અને ફિલ્મોના પિતામહ કહેવાતા દાદાસાહેબ ફાળકેની વાર્તા ખબર હશે. કારણ કે હવે દાદા સાહેબ ફાળકેના જીવન પર ફિલ્મ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતો આમિર ખાન હવે દાદાસાહેબ ફાળકે પર ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે. 'થ્રી ઈડિયટ્સ' અને 'પીકે' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર જોડી આમિર ખાન અને રાજકુમાર હિરાણી હવે દાદાસાહેબ ફાળકેના જીવનને પડદા પર લાવવાની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મમાં આ જોડી કામ કરી રહી હોવાથી લોકોને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ હશે.

ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબરમાં શરૂ થશે

સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન સેટ કરેલી આ વાર્તા એક એવા કલાકાર વિશે છે જેમણે શૂન્યમાંથી શરૂઆત કરી અને દરેક મુશ્કેલીનો સામનો કરીને વિશ્વના સૌથી મોટા સ્વદેશી ફિલ્મ ઉદ્યોગની સ્થાપના કરી હતી. મળતી માહિતી મુજબ, આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ઓક્ટોબરથી શરૂ થશે. આમિર ખાન તેની આગામી ફિલ્મ 'સિતાર જમીન પર' રિલીઝ થયા પછી તરત જ તેના પાત્ર માટે તૈયારી શરૂ કરશે. જ્યારે VFX દ્વારા ફિલ્મના યુગ અને સમયને દર્શાવવાનું કામ શરૂ થઈ ગયું છે. રાજકુમાર હિરાણી, અભિજાત જોશી, હિન્દુકુશ ભારદ્વાજ અને અવિષ્કાર ભારદ્વાજ છેલ્લા ચાર વર્ષથી ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે.

દાદાસાહેબના પૌત્રએ સપોર્ટ આપ્યો

દાદાસાહેબ ફાળકેના પૌત્ર ચંદ્રશેખર શ્રીકૃષ્ણ પુસાલકરે આ પ્રોજેક્ટને સંપૂર્ણ સપોર્ટ આપ્યો છે અને દાદાસાહેબ ફાળકેના જીવન સાથે સંબંધિત ઘણી ખાસ હકીકતો અને ઘટનાઓ શેર કરી છે. આ ફિલ્મ માટે આમિર ખાન અને રાજકુમાર હિરાણી ફરી સાથે આવી રહ્યા છે, તેથી આ ફિલ્મ મોટા પાયે બનવાની અપેક્ષા છે.

Related News

Icon