પાકિસ્તાન અને તેના આતંકવાદીઓ વિરૂદ્ધ ભારતીય સેનાનું ઓપરેશન સફળ રહ્યું છે. ભારતીય સેનાએ પાકિસ્તાનને ઘૂંટણીયે લાવી દીધું હતું અને પાકિસ્તાન સીઝફાયરની જાહેરાત માટે રાહ જોઇ રહ્યું હતું. ત્યારબાદ બંને દેશોએ સીઝફાયરની જાહેરાત કરી છે. આ દરમિયાન ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ શુક્રવારે વાયુસેનાના ભુજ એરબેઝની મુલાકાત લેશે.

