જગન્નાથ મંદિર રથયાત્રા એક એવો તહેવાર છે જેમને ઉજવવા માટે ભારતભરમાંથી ભક્તો પુરી પહોંચે છે. ઓરિસ્સાના પુરી શહેરમાં ભક્તો ઉમટે છે. ભગવાન જગન્નાથ અષાઢ મહિનાના બીજા દિવસે તેમના ભાઈ બલરામ, તેમની બહેન સુભદ્રા સાથે રથ પર સવાર થઈને તેમના માસી ગુંડીચા માતાના મંદિરે જાય છે. જેમને તેમના માસીનું ઘર કહેવામાં આવે છે. તેમના માસીના ઘરે ગયા પછી તેઓ 7 દિવસ આરામ કરે છે અને પછી જગન્નાથ પુરી પાછા ફરે છે.

