દસ ટકા જીવન આપણા જીવનમાં જે ઘટનાઓ ઘટે છે તેનું બનેલું હોય છે. ૯૦ ટકા જીવન આપણે (તે ઘટનાઓ) ને કેવો પ્રતિસાદ આપીએ છીએ તેનાં પર નિર્ભર છે. આનો અર્થ શો થાય છે. આપણી સાથે જે કાંઈ પણ બને છે. તેનાં ૧૦ ટકા હિસ્સા પર આપણો કોઈ અંકુશ નથી. આપણે ગાડી અચાનક બગડી જતાં રોકી શકતા નથી. ક્યારેક વિમાન મોડું પડી શકે છે અને તેનાં કારણે તમારૂં સમગ્ર સમયપત્રક ખોરવાઈ જઇ શકે છે. ક્યારેક તમે કોઈ ટ્રાફિકમાં ફસાઈ જઈ શકો છો. અને તેનાં વિષે કંઈ પણ કરી શકવા સર્મથ નથી હોતા. આ ૧૦ ટકા ઉપર આપણો કોઈ જ અંકુશ નથી હોતો. પણ બાકી ૯૦ ટકાની વાત જુદી છે. બાકીનાં એ ૯૦ ટકા આપણે નક્કી કરી શકીએ છીએ. કઈ રીતે? આપણી પ્રતિક્રિયા દ્વારા.

