Home / Religion : Know what should and should not be done during Holashtak

7 માર્ચથી શરૂ થઈ રહ્યા છે હોળાષ્ટક, જાણો આ દિવસોમાં શું કરવું જોઈએ અને શું નહીં

7 માર્ચથી શરૂ થઈ રહ્યા છે હોળાષ્ટક, જાણો આ દિવસોમાં શું કરવું જોઈએ અને શું નહીં

માર્ચ મહિલાની શરૂઆત થઈ ગઈ છે. આ મહિનામાં હોળીનો તહેવાર ધૂમધામ અને હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. હોળીના આઠ દિવસ પહેલા હોળાષ્ટક શરૂ થઈ જાય છે. હિન્દુ ધર્મમાં હોળાષ્ટક દરમિયાન શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, હોળાષ્ટક દરમિયાન ગ્રહોની સ્થિતિ અનુકૂળ નથી હોતી. જેના કારણે કાર્યોમાં વિધ્ન આવી શકે છે. એટલે હોળાષ્ટક દરમિયાન લગ્ન વિધિ, ગૃહ પ્રવેશ અને નામકરણ સહિતના શુભ કાર્યો નથી કરવામાં આવતા. પૌરાણિક માન્યતા પ્રમાણે હોળાષ્ટકના સમયગાળા દરમિયાન ભક્ત પ્રહલાદને તેમના પિતા હિરણ્યકશ્યપે ઘણી યાતનાઓ આપી હતી. આ દરમિયાન પૂજા-અર્ચના અને જપ-તપ જેવા શુભ કાર્યો કરવા શુભ માનવામાં આવે છે. આવો જાણીએ કે હોળાષ્ટક ક્યારે શરૂ થાય છે અને તે દિવસોમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હોળાષ્ટક ક્યારે શરૂ થઈ રહ્યા છે

હિન્દુ પંચાંગ પ્રમાણે આ વર્ષે 7 માર્ચ 2025ના રોજ હોળાષ્ટક શરૂ થઈ રહ્યા છે અને તેનું સમાપન 13 માર્ચ 2025ના રોજ થશે અને તે પછીના દિવસે 14 માર્ચ 2025ના રોજ હોળી મનાવવામાં આવશે.

હોળાષ્ટકમાં શું કરવું જોઈએ

  • હોળાષ્ટકના સમયગાળામાં હનુમાન ચાલીસા અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો પુણ્યફળદાયી માનવામાં આવે છે. તેના કારણે જીવનમાં સકારાત્મકતા આવે છે. 
  • હોળાષ્ટક દરમિયાન ગરીબો અને જરૂરીયાતમંદોને અનાજ, કપડા અને ધનનું દાન કરી શકાય છે.
  • માન્યતા પ્રમાણે આવું કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. 
  • હોળાષ્ટકમાં પિતૃઓના આત્માની શાંતિ માટે તર્પણ કરવું લાભદાયી માનવામાં આવે છે. 

હોળાષ્ટકમાં શું કરવું જોઈએ

  • હોળાષ્ટક દરમિયાન લગ્ન, ગૃહ પ્રવેશ તેમજ મુંડન સંસ્કાર સહિતની માંગલિક વિધિનું આયોજન નથી કરવામાં આવતું. 
  • હોળાષ્ટકમાં નવા ઘરનું નિર્માણ કાર્ય નથી શરૂ કરવામાં આવતું. 
  • હોળાષ્ટકના સમયગાળામાં સોનું, ચાંદી અને નવા વાહન સહિતની કિંમતી વસ્તુઓ ખરીદવા શુભ નથી માનવામાં આવતા. 
  • આ ઉપરાંત આ સમયગાળામાં ક્રોધ અને વાદ -વિવાદથી બચવું જોઈએ. 
Related News

Icon