
હિંદુ ધર્મમાં, કળિયુગ દરમિયાન, માત્ર એક જ ભગવાનને તેમના સંપૂર્ણ સ્વરૂપમાં માનવામાં આવે છે અને તે છે ભગવાન હનુમાન. જો કોઈ વ્યક્તિ ભગવાન હનુમાનના જાપ કરે છે, તો તેની બધી સમસ્યાઓ દૂર થઈ જશે. હિંદુ માન્યતાઓ અનુસાર, માત્ર દેવી-દેવતાઓના પૂજા મંત્રોના જાપ કરવાથી વ્યક્તિના દુઃખમાંથી મુક્તિની અનુભૂતિ થાય છે.
વાસ્તવમાં આ મંત્રોનો જાપ હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. કળિયુગના સમયમાં ભગવાન હનુમાનને તમામ પ્રકારની પરેશાનીઓ દૂર કરનાર દેવતા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હનુમાન આજે પણ તેમના ભૌતિક સ્વરૂપમાં પૃથ્વી પર ભ્રમણ કરે છે.
આ પણ વાંચો : ભારતીય મૂળના આ બાળકનો IQ આલ્બર્ટ આઈન્સ્ટાઈન કરતા પણ વધું
ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે ભક્તો ચાલીસાનો પાઠ કરે છે. તમને જણાવી દઈએ કે હનુમાન ચાલીસામાં ભક્તોની કોઈપણ પ્રકારની સમસ્યાનું સમાધાન છુપાયેલું છે. જો કોઈ ભક્ત સાચા મનથી ચાલીસાનો પાઠ કરે છે, ભગવાન હનુમાનનું સ્મરણ કરે છે, તો તેની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. આવો જાણીએ હનુમાન ચાલીસાની ચોપાઈમાં છુપાયેલી વ્યક્તિની કઈ ચાર સમસ્યાઓ છે જેનું સમાધાન!
તબિયત ખરાબ હોય તો આ સૂત્રનો જાપ કરો
જો કોઈ વ્યક્તિની તબિયત લાંબા સમય સુધી સારી ન હોય તો તેણે સવારે અને સાંજે 108 વાર
नासे रोग हरे सब पीरा जो सुमिरे हनुमंत बलबीरा નો
જાપ કરવો જોઈએ. તમે મંગળવારે આખી હનુમાન ચાલીસાનો પાઠ પણ કરી શકો છો.
જો તમને ડર લાગે તો આ ચોપાઈનો જાપ કરો
કોઈપણ પ્રકારના ડરથી પરેશાન વ્યક્તિ એ
भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे
108 વાર જાપ કરવો જોઈએ.
આ પણ વાંચો : 43,000 કરોડની સંપત્તિ ત્યાગી, આ ટેલિકોમ દિગ્ગજનો પુત્ર બન્યો ભગવાન બુદ્ધનો સંન્યાસી
જો કોઈ વ્યક્તિ શક્તિ મેળવવા માગે છે તો આ માટે બ્રમ્હમુરતમાં આનો જાપ કરો
अष्ट सिद्धि नवनिधि के दाता अस बर दीन जानकी माता.
ધન અને જ્ઞાન મેળવવા માટે આનો જાપ કરો
જો તમે પૈસા અથવા શિક્ષણ સંબંધિત કોઈપણ સમસ્યાને દૂર કરવા માંગો છો, તો આ ચોપાઈ
बिद्यबान गुनी अति चातुर रामकाज करीबे को आतुर
મંત્રનો 108 વાર જાપ કરો.
ડિસક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. GSTV તેની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.