Home / Religion : This zodiac sign will face a lot of trouble in life

શનિ અને ગુરુ બદલશે ચાલ, આ રાશિ જીવનમાં આવશે ભારે મુશ્કેલી!

શનિ અને ગુરુ બદલશે ચાલ, આ રાશિ જીવનમાં આવશે ભારે મુશ્કેલી!

જ્યોતિષ શાસ્ત્રમાં શનિ અને ગુરુની ચાલ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યારે પણ આ બંને ગ્રહો તેમની ચાલ બદલે છે ત્યારે તેની સીધી અસર માનવીના જીવન પર પડે છે. હકીકતમાં 14 મેના રોજ ગુરુ મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને  અતિચારી ગતિ સાથે તે 14 ઓક્ટોબરે કર્ક રાશિમાં પ્રવેશ કરશે. આ દરમિયાન 13 જુલાઈના રોજ શનિ મીન રાશિમાં વક્રી ચાલ થશે. આ બંન્ને ગ્રહોની બદલતી ચાલથી કેટલીક રાશિઓને સાવધાન રહેવાની જરુર છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વૃષભ રાશિ

શનિની વર્કી અને ગુરુની અતિચારી ચાલથી વૃષભ રાશિવાળાનો નકારાત્મક સમય શરુ થશે. આ સમય દરમિયાન સમજી વિચારીને રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે. તેમજ ખર્ચામાં મોટો વધારો થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં મતભેદ વધી શકે છે. આવકમાં ઘટાડો થઈ શકે છે. 

મિથુન રાશિ

મિથુન રાશિવાળાના જીવનમાં પણ ખરાબ અસર થવાની છે. અપરિચિત લોકોથી સાવધાન રહેવું જરુરી છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ નવા કાર્યની શરુઆત ન કરશો, નહીં તો નુકસાન થઈ શકે છે. 

કર્ક રાશિ

કર્ક રાશિવાળા વ્યાપારી વર્ગ માટે અનુકુળ નથી. વેપારમાં નુકસાન થવાની સંભાવના રહેલી છે. આર્થિક નુકસાન થઈ શકે છે. વિવાહિત જીવનમાં અસર થઈ શકે છે. 

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળાએ આ સમયગાળા દરમિયાન ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવા નહીંતો. ભવિષ્યમાં સમસ્યાઓ વધારી શકે છે. બિનજરૂરી પૈસા ખર્ચ કરવાનું ટાળવું જોઈએ. બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ કરવાથી તમારા ઘરનું બજેટ બગડી શકે છે. નોકરી અને વ્યવસાયમાં સમસ્યાઓ વધી શકે છે.

મકર રાશિ

મકર રાશિના જાતકોની તબિયત બગડી શકે છે. કાર્યોમાં નકારાત્મકતાનો સામનો કરવો પડી શકે છે. વાદ વિવાદથી સાવધાન રહેવું જરુરી છે. આ ઉપરાંત આ સમયગાળામાં કોઈની પણ સાથે સમજી વિચારીને વાત કરવી. 

નોંધ:-  આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

Related News

Icon