
હોળીનો તહેવાર દરેક વ્યક્તિને આનંદ અને ઉત્સાહથી ભરી દે છે. એવું કહેવાય છે કે આ દિવસે દુશ્મનો પણ મિત્ર બની જાય છે. ઉપરાંત આ દિવસ ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ફાગણ પૂર્ણિમાના દિવસે ઉજવાતો હોળીનો તહેવાર ફક્ત તમારા માટે ખુશીઓ લાવે છે, પરંતુ જો તમે આ દિવસે તમારી રાશિ અનુસાર રંગોનો ઉપયોગ કરો તો ગ્રહ દોષો પણ દૂર થાય છે. મેષ રાશિથી મીન રાશિ સુધીની બધી રાશિઓએ હોળીના દિવસે કયા રંગોથી હોળી રમવી જોઈએ, આવો જોઈએ.
મેષ અને વૃશ્ચિક રાશિ
મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિના જાતકોમાં ઉર્જાનો ભરપૂર પ્રમાણ હોય છે. આ બંને રાશિના લોકોએ હોળીના દિવસે મંગળના પ્રિય રંગ લાલ રંગથી હોળી રમવી જોઈએ. આ સાથે, નારંગી અને મરૂન રંગ પણ તેમના માટે શુભ રહેશે. આમ કરવાથી, તેમને ગ્રહ દોષોથી પણ રાહત મળશે.
વૃષભ અને તુલા રાશિ
શુક્ર જેનો સ્વામી છેતેવા એવા વૃષભ અને તુલા રાશિના લોકો માટે હોળી આછા વાદળી, રાખોડી અને ગુલાબી રંગોથી રમવી જોઈએ. આ રંગો શુક્ર ગ્રહને પણ મજબૂત બનાવે છે અને આ બંને રાશિઓ માટે શુભ માનવામાં આવે છે.
મિથુન અને કન્યા રાશિ
બુધ જેનો સ્વામી છે તેવા મિથુન અને કન્યા રાશિના લોકોએ હોળીના દિવસે લીલા, ભૂરા અને ભૂખરા રંગનો ઉપયોગ કરવો જોઈએ. આ રંગોનો ઉપયોગ કરીને, તેઓ જીવનમાં શુભ પરિણામો મેળવી શકે છે.
કર્ક રાશિ
કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. આ રાશિના લોકોએ હોળી પર સિલ્વર અથવા આછા ગુલાબી રંગનો ઉપયોગ કરવો જોઈએ. આ રંગનો ઉપયોગ કરવાથી તેમના જીવનમાં સકારાત્મકતા આવે છે અને ચંદ્ર પણ મજબૂત બને છે.
સિંહ રાશિ
સૂર્યના જેનો સ્વામી છે તેવા સિંહ રાશિના લોકો માટે હોળી રમવા માટે નારંગી, ઘેરો પીળો રંગ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ રંગોનો ઉપયોગ કરવાથી સૂર્ય પ્રસન્ન થાય છે અને જાતકના જીવનમાંથી ઘણી સમસ્યાઓ દૂર કરે છે.
ધન અને મીન રાશિ
ગુરુ ગ્રહ જેનો સ્વામી છે તેવા ધન અને મીન રાશિના લોકોએ પીળા, નારંગી, દરિયાઈ વાદળી રંગોથી હોળી રમવી જોઈએ. આ રંગોના ઉપયોગથી ગુરુ પ્રસન્ન થાય છે. આ ઉપરાંત, આ રંગોનો ઉપયોગ કરવાથી, કુંડળીમાં અન્ય ગ્રહોની સ્થિતિ પણ શુભ બને છે.
મકર અને કુંભ
શનિના શાસન હેઠળના મકર અને કુંભ રાશિના લોકો હોળી વાદળી રંગને પસંદ કરે છે, ભૂરા રંગના મકર રાશિના લોકો મહેનતુ અને જવાબદાર હોય છે. તેમના માટે ભૂરા, રાખોડી અને ઘેરા વાદળી રંગ ખૂબ જ સારા માનવામાં આવે છે. કુંભ રાશિના જાતકો સર્જનાત્મક અને સ્વતંત્ર વિચારક હોય છે. તેમના માટે વાદળી, જાંબલી અને ચાંદીના રંગો સૌથી શુભ છે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.