
આપણે બધાને આપણા ઘરને સજાવવા માટે વિવિધ પ્રકારના પેઈન્ટીંગ્સનો ઉપયોગ કરવો ગમે છે. ઘરના અલગ-અલગ ભાગમાં અલગ-અલગ પ્રકારના પેઈન્ટીંગ્સ લગાવીએ છીએ છે. કેટલાક લોકો પ્રકૃતિ પ્રેમી હોય છે તેથી તેઓ ધોધ કે ઝરણાંનું પેઈન્ટીંગ લગાવે છે.
ઘરમાં ઝરણાં કે ધોધના ચિત્રમાં વહેતા પાણીનું ચિત્ર ખૂબ જ સુંદર લાગે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ધોધ કે ઝરણાંનું પેઈન્ટીંગ યોગ્ય રીતે લાગુ લગાડવું જોઈએ, જો ખોટી દિશામાં કરવામાં આવે છે, તો તે નકારાત્મકતાનું કારણ પણ બની શકે છે.
ઘરમાં ધોધ કે ઝરણાનું પેઈન્ટીંગ ક્યાં લગાવવું જોઈએ?
ઘરમાં ધોધ કે ઝરણાંનું પેઈન્ટીંગ હંમેશા ઉત્તર દિશાની મધ્યમાં લગાવો.
પાણીના ફુવારાનું પેઈન્ટીંગ લગાવો
જો તમે તમારા ઘરમાં પાણી સંબંધિત કોઈ પેઈન્ટીંગ લગાવવા માંગો છો, પાણીના ફુવારાનું પેઈન્ટીંગ લગાવો. પાણીના ફુવારામાં પાણી નીચેથી ઉપર તરફ વહે છે, તે સારું લાગે છે અને હકારાત્મકતા પણ લાવે છે. તમારે આ પ્રકારનું પેઈન્ટીંગ ઉત્તર-પૂર્વ દિશામાં મધ્ય ભાગમાં લગાવવું જોઈએ. તેને દક્ષિણ-પશ્ચિમમાં ક્યારેય ન લગાવવું જોઈએ.
દક્ષિણ-પૂર્વ ખૂણો
ધોધ કે ફુવારાનાં ચિત્રો ભૂલથી પણ દક્ષિણ-પૂર્વ ખૂણામાં ન લગાવવા જોઈએ. જો આ દિશામાં ધોધનું ચિત્ર લગાવવામાં આવે તો તમારે આર્થિક નુકસાનની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત તે ઘરમાં ઝઘડાનું કારણ પણ બની શકે છે.
ઉત્તર-પશ્ચિમ દિશામાં ધોધનું ચિત્ર ન લગાવો
ઉત્તર-પશ્ચિમ દિશામાં ધોધનું ચિત્ર લગાવવું પણ સારું માનવામાં આવતું નથી. જો આ દિશામાં ધોધની પેઈન્ટીંગ લગાવવામાં આવે તો તમારે કાયદાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એટલું જ નહીં તેનાથી ઘરની મહિલાઓને પણ પરેશાની થાય છે. આ કારણે પરિવારના સભ્યોની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ વધી શકે છે.
પેઈન્ટીંગની ઊંચાઈ
જો તમે તમારા ઘરમાં ધોધ કે ઝરણાનું ચિત્ર લગાવી રહ્યા છો, તો તમારે ધ્યાન રાખવું જોઈએ કે તેની ઊંચાઈ વધારે ન હોવી જોઈએ. વાસ્તુ અનુસાર નદી અથવા સમુદ્રનું પેઈન્ટીંગ ખૂબ જ સારી માનવામાં આવે છે. પરંતુ ધોધના ચિત્રમાં એક ટેકરી જેવું દ્રશ્ય છે, જેમાં ઉપરથી નીચે સુધી પાણી પડે છે. તેનાથી એક પ્રકારની નકારાત્મકતા સર્જાય છે. તો હવે તમે પણ તમારા ઘરમાં ધોધ કે ઝરણાનું પેઈન્ટીંગ લગાવતી વખતે આ ભૂલોથી બચો અને તમારા ઘરમાં કોઈપણ પ્રકારની નકારાત્મકતાને ટાળો.
ડિસક્લેમર:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધl જ્યોતિષીઓ/ પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.