Home / Religion : Women should not break coconuts, why does grandma say this?

સ્ત્રીઓએ નાળિયેર ન વધેરવું જોઈએ, દાદીમા આવું કેમ કહે છે?

સ્ત્રીઓએ નાળિયેર ન વધેરવું જોઈએ, દાદીમા આવું કેમ કહે છે?

હિંદુ ધર્મમાં નારિયેળને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને નારિયેળનો ઉપયોગ પૂજા, ધાર્મિક વિધિ, લગ્ન, તિલક અથવા કોઈપણ શુભ કાર્યમાં ચોક્કસપણે થાય છે. નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે, જે એક પવિત્ર ફળ માનવામાં આવે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ જ કારણ છે કે નારિયેળનો ઉપયોગ શુભ અને ધાર્મિક કાર્યોમાં કરવામાં આવે છે. પરંતુ દાદીમા ઘણીવાર કહે છે કે સ્ત્રીઓએ નારિયેળ ન વધેરવું જોઈએ. શું તમે જાણો છો કે દાદીમા આવું કેમ કહે છે? આવો જાણીએ મહિલાઓને નારિયેળ વધેરવાની મનાઈ શા માટે છે અને તેની પાછળનું કારણ શું છે.

તમારી દાદીમાના આ શબ્દો તમને થોડા સમય માટે વિચિત્ર અથવા તો એક દંતકથા પણ લાગી શકે છે. પરંતુ તેના કારણો અને તેનાથી થતા નુકસાનનું વર્ણન શાસ્ત્રો અને વિજ્ઞાનમાં કરવામાં આવ્યું છે. જો તમે તમારી દાદીમાની સલાહને અનુસરશો તો તમે ખુશ રહેશો અને ભવિષ્યમાં અશુભ ઘટનાઓથી બચી શકશો. ચાલો જાણીએ શા માટે દાદીમા મહિલાઓને નારિયેળ વધેરવા કે તોડવાની ના પાડે છે.

આ પણ વાંચો : આંબાના પાનથી કરો આ સરળ ઉપાય, ઋણની સમસ્યામાંથી મળશે રાહત અને ઘરની સુખ સમૃદ્ધિ જળવાશે

 મહિલાઓએ નારિયેળ કેમ ન વધેરવું જોઈએ

સનાતન ધર્મમાં વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે કે પૂજા સમયે કે કોઈપણ સમયે માત્ર પુરુષો જ નાળિયેર વધેરે છે, સ્ત્રીઓ નહીં.  તેનું કારણ એ છે કે નારિયેળ ભલે ગમે તેટલું શુભ કેમ ન હોય, તે યજ્ઞનું પ્રતીક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં નારિયેળને બીજ માનવામાં આવે છે. તેથી એવું કહેવાય છે કે જ્યારે કોઈ સ્ત્રી નારિયેળ વધેરે છે તો તેના ગર્ભાશય પર નકારાત્મક અસર પડે છે. કારણ કે જ્યારે બાળક ગર્ભમાં હોય છે ત્યારે તે પણ બીજ જેવું હોય છે. આ જ કારણ છે કે મહિલાઓ ક્યારેય નારિયેળ વધેરતી નથી. આમ કરવાથી તેના બાળક અથવા ગર્ભાશયમાં સમસ્યા થઈ શકે છે. આ કારણોસર, હિંદુ ધર્મમાં મહિલાઓ દ્વારા નાળિયેર વધેરવું પ્રતિબંધિત માનવામાં આવે છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

Related News

Icon