Porbandar news: પોરબંદર સહિતના દરિયામાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી ભારે કરન્ટ હોવાથી પવન ફુંકાઈ રહ્યો છે. જેથી તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. જો કે, આવા તોફાની દરિયામાં 27 જૂન શુક્રવારે સાંજે પિલાણ સાથે પાંચ માછીમારો લાપતા બન્યા હતા. જેને લઈ તંત્ર અને માછીમારોના પરિવારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
હવામાન વિભાગે પણ દરિયામાં માછીમારી માટે ન જવા સૂચના આપી હતી. આ ઉપરાંત દરિયામાં ઉંચા મોજાં ઉછળી રહ્યા હતા.

