Panchmahal news: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખટકપુર ગામની વક્તાખાંટ પ્રાથમિક શાળામાં ઓરડાની ઘટ હોવાના કારણે બાલવાટિકા અને ધોરણ ૧થી ૮ના બાળકોને માત્ર ત્રણ જ ઓરડામાં પાળી પધ્ધતિથી બેસીને અભ્યાસ કરવા મજબૂર બનવું પડ્યું છે. તેમાં પણ બે ઓરડા તો ડિસ્મેન્ટલ થયેલા છે. જો કે, તેમાં ચોમાસાના સમયે પાણી ટપકે છે તેવા સમયે ક્યાં બેસીને અભ્યાસ કરવો તે પ્રશ્ન બાળકો માટે ઉભો થતો હોય છે. આ શાળાના મંજૂર થયેલા ૬ ઓરડા આજદિન સુધી નવીન નહીં બનતા આવી જ પરિસ્થિતિમાં બાળકો અભ્યાસ કરે છે.

