Operation Sindoor નું નામ દરેક ભારતીય સહિત વિશ્વના અનેક લોકોના મનમાં કોતરાયેલું છે. પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર હેઠળ જ આતંકીઓનો ખાત્મો બોલાવ્યો હતો. ભારતીય સેનાએ પોતાની બહાદુરી અને હિંમત બતાવીને 6 મેની મોડી રાત્રે પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. ભારતીય સેનાએ મોડી રાત્રે કરેલા આ કાર્યવાહીનું નામ ઓપરેશન સિંદૂર આપ્યું હતું. સેનાએ ઓપરેશન સિંદૂરનો લોગો બહાર પાડી સમગ્ર વિશ્વને જણાવ્યું કે ભારતે પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણાનો નાશ કર્યો છે. ત્યારથી ઓપરેશન સિંદૂરનો આ લોગો ખૂબ જ લોકપ્રિય બન્યો.

