Home / Gujarat / Gir Somnath : Good news for devotees going to Somnath temple for darshan,

સોમનાથ મંદિરે દર્શન કરવા જતાં ભક્તો માટે આનંદના સમાચાર, શરૂ થશે અમદાવાદથી નવી વંદે ભારત ટ્રેન

સોમનાથ મંદિરે દર્શન કરવા જતાં ભક્તો માટે આનંદના સમાચાર, શરૂ થશે અમદાવાદથી નવી વંદે ભારત ટ્રેન

આગામી તા.26મીએ સાબરમતી- વેરાવળ- સાબરમતી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે. આ ટ્રેન સવારે 5:25 વાગ્યે સાબરમતી સ્ટેશનથી ઉપડી બપોરે  12:25 વાગ્યે વેરાવળ પહોંચશે. ગુરૂવાર સિવાયના તમામ વારે આ ટ્રેન દોડશે. આથી અમદાવાદથી સોમનાથ દર્શનાર્થે આવતા ભાવિકો સહિતના લોકોને સુવિધા મળી રહેશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રાજકોટથી વેરાવળ વચ્ચે ઈલેક્ટ્રીફિકેશન

રાજકોટથી વેરાવળ વચ્ચે ઈલેક્ટ્રીફિકેશન થઈ ગયા બાદ વધુ ટ્રેન ઉપલબ્ધ થઈ ન હતી. લાંબા અંતરની ટ્રેન આપવા અને વંદે ભારત ટ્રેન શરૂ કરવા માંગણી કરવામાં આવી હતી. 2022માં વેરાવળ સાબરમતી વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવા રેલવે બોર્ડમાં દરખાસ્ત થઈ હતી. 

સાબરમતી-વેરાવળ-સાબરમતી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને મંજૂરી 

આખરે રેલવે બોર્ડ દ્વારા સાબરમતી-વેરાવળ-સાબરમતી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને મંજૂરી આપી છે. આગામી તા.26મીએ આ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે. સાબરમતી સ્ટેશનથી આ ટ્રેન સવારે 5:25 વાગ્યે ઉપડી બપોરે 12:25 વાગ્યે વેરાવળ પહોચશે અને બપોરે 2:40 વાગ્યે વેરાવળથી ઉપડી રાત્રીના 9:૩5 વાગ્યે સાબરમતી પહોચશે. આમ, 438 કિલોમીટરનું અંતર કાપતા આ ટ્રેનને સાતેક કલાક જેટલો સમય લાગશે. 

Related News

Icon