
શુક્રવારે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે 42 રનથી હારનો સામનો કરવો પડ્યો ત્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ની IPL 2025 લીગ સ્ટેજના અંતે ટોપ-2માં સ્થાન મેળવવાની આશાને મોટો ઝટકો લાગ્યો. જો RCB જીતી ગયું હોત તો ટોપ 2માં રહેવાની શક્યતા વધી ગઈ હોત.
RCB એ 27 મેના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે તેની છેલ્લી લીગ મેચ રમવાની છે અને તેને આ મેચ કોઈપણ કિંમતે જીતવી પડશે. RCBની ટોપ 2માં સ્થાન મેળવવાની આશા હજુ ખતમ નથી થઈ, પરંતુ તે માટે તેને અન્ય પરિણામો પર આધાર રાખવો પડશે.
કેવી રહી બેંગલુરુ અને હૈદરાબાદની મેચ
તમને જણાવી દઈએ કે RCB અને SRH વચ્ચેની મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમને બદલે લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાઈ હતી. બેંગલુરુમાં ખરાબ હવામાનની ચેતવણી હોવાથી, મેચનું સ્થાન બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
SRH એ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 231 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. જવાબમાં, RCBની ટીમ 19.5 ઓવરમાં 189 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ટીમ 42 રનથી મેચ હારી ગઈ.
આ હારના કારણે, RCBની ટીમ 17 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને સરકી ગઈ છે. ગુજરાત ટાઈટન્સ (18) અને પંજાબ કિંગ્સ (17) અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાને છે. સારી નેટ રન રેટના કારણે પંજાબ આગળ છે.
હવે બેંગલુરુ કેવી રીતે ટોપ 2માં પહોંચશે?
RCBએ તેની છેલ્લી લીગ મેચ 27 મેના રોજ રમવાની છે. રજત પાટીદારની આગેવાની હેઠળની RCBએ કોઈપણ કિંમતે તેની છેલ્લી મેચ જીતવી પડશે, જેનાથી તે 19 પોઈન્ટ પર પહોંચી જશે. આ ઉપરાંત, RCBએ અન્ય મેચોના પરિણામો પર પણ આધાર રાખવો પડશે. RCB ઈચ્છશે કે ગુજરાત ટાઈટન્સ (GT) તેની છેલ્લી લીગ મેચ હારી જાય જેથી તેના 18 પોઈન્ટ જ રહે.
RCB એ પણ ઈચ્છશે કે પંજાબ તેની બાકીની બે મેચોમાંથી એક હારી જાય જેથી તે વધુમાં વધુ 19 પોઈન્ટ મેળવી શકે. આ સાથે પંજાબ કિંગ્સની નેટ રન રેટ પણ RCB કરતા ઓછી હોવો જોઈએ.
આવી સ્થિતિમાં, RCBની ટીમ 19 પોઈન્ટ સાથે ટોપ 2 માં સ્થાન મેળવવામાં સફળ રહેશે. મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ છે, જે મહત્તમ પોઈન્ટ 18 સુધી પહોંચી શકે છે. તેથી મુંબઈ ઈન્ડિયન્સ ટોપ 2માં જવાના માર્ગમાં મોટો અવરોધ નથી.