સુરેન્દ્રનગરમાં ગુજરાત એસ.ટી. વિભાગ દ્વારા બસ ભાડામાં 10%નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે હવે મુસાફરી મોંઘી બની ગઈ છે. આ નવા ભાડા આજથી લાગુ થયા છે, જેની સીધી અસર સુરેન્દ્રનગર જિલ્લાના દૈનિક સરેરાશ 25 હજારથી વધુ મુસાફરોને પડશે. મુસાફરોનો આક્ષેપ છે કે સુવિધાઓમાં કોઈ સુધારો કે ફેરફાર કરવામાં આવ્યો નથી, છતાં ભાડામાં આટલો મોટો વધારો કરી દેવાયો છે.

