Home / Sports : RCB announces help for the families of 11 fans who lost their life

ચિન્નાસ્વામીમાં થયેલી ભાગદોડમાં માર્યા ગયેલા લોકો માટે RCB એ કરી મોટી જાહેરાત, પીડિતોના પરિવારને આપશે આટલા રૂપિયા

ચિન્નાસ્વામીમાં થયેલી ભાગદોડમાં માર્યા ગયેલા લોકો માટે RCB એ કરી મોટી જાહેરાત, પીડિતોના પરિવારને આપશે આટલા રૂપિયા

ચિન્નાસ્વામીમાં થયેલી ભાગદોડ દરમિયાન માર્યા ગયેલા લોકોની મદદ માટે RCBની ટીમ આગળ આવી છે. RCBની ટીમે અકસ્માતમાં જીવ ગુમાવનારા 11 લોકોના પરિવારને 10-10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે RCB એ પહેલીવાર IPL ટ્રોફી જીતી છે, જેનાથી 17 વર્ષના દુષ્કાળનો અંત આવ્યો છે. ટીમ ચેમ્પિયન બન્યા પછી, લાખો ફેન્સ RCBની જીતના જશ્નમાં જોડાવા માટે ચિન્નાસ્વામી મેદાન પર પહોંચ્યા હતા. જોકે, પરિસ્થિતિ અચાનક વધુ વણસી ગઈ અને ભાગદોડ મચી ગઈ. ભાગદોડને કારણે બધે અરાજકતા મચી ગઈ અને 11 લોકોએ જીવ ગુમાવ્યા. આ સાથે 33 લોકો ઘાયલ પણ થયા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

RCB મદદ માટે આગળ આવ્યું

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ની જીતના જશ્નમાં જોડાવા માટે ચિન્નાસ્વામી પહોંચેલા 11 ફેન્સને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. હવે RCBની ટીમ મેદાન પર થયેલી ભાગદોડને કારણે જીવ ગુમાવનારા ફેન્સની મદદ માટે આગળ આવી છે. ટીમે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. અગાઉ, કર્ણાટક સરકારે પણ પીડિતોના પરિવારજનોને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. IPL 2025ની ફાઈનલ મેચમાં પંજાબ કિંગ્સ (PBKS) ને 6 રનથી હરાવીને RCBએ પ્રથમ વખત ટાઈટલ જીત્યું હતું. ટીમ ચેમ્પિયન બન્યા બાદ બેંગલુરુમાં ખૂબ જ ઉજવણી થઈ હતી. ફેન્સ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને RCBની જીતની ઉજવણી કરી હતી.

17 વર્ષનો દુકાળ સમાપ્ત

RCB એ 17 વર્ષના દુકાળનો અંત લાવીને પ્રથમ વખત IPL ટ્રોફી જીતી હતી. ફાઈનલ મેચમાં RCBનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. પહેલા બેટિંગ કરતા ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા હતા. ટીમ માટે વિરાટ કોહલીએ 43 રન બનાવ્યા હતા, જ્યારે કેપ્ટન રજત પાટીદારે 26 રનનું યોગદાન આપ્યું હતું. 191 રનનો ટાર્ગેટ ચેઝ કરતી વખતે, PBKSની ટીમ 6 રનથી પાછળ રહી ગઈ હતી. PBKSની ટીમ 7 વિકેટ ગુમાવીને માત્ર 184 રન જ બનાવી શકી હતી.

Related News

Icon