હવામાન વિભાગની આગાહી પ્રમાણે માવઠું વાવાઝોડા સાથે આવ્યું હતું. જેથી છોટાઉદેપુર જિલ્લામાં ભારે ખાનાખરાબી સર્જાઈ છે. વીજ પુરવઠો ખોરવાયો મધ્યગુજરાત વીજકંપનીના અધિકારીઓની નિષ્કાળજીના કારણે લાખો લોકો છોટાઉદેપુર જિલ્લામાં અંધારામાં જીવવા માટે મજબૂર બન્યા છે. ફુંકાયેલા વાવાઝોડામાં વીજપુરવઠો ચાલુ કરવામાં મધ્ય ગુજરાત વીજ કંપની નિષ્ફળ રહી જ્યારે અધિકારીઓ પણ હેડક્વાટર ઉપર હાજર રહ્યા ના હતા.અનેક રસ્તાઓ પર વૃક્ષો ધરાશે થયા તેને હટાવવાની વનવિભાગના અધિકારીઓએ રાત્રે કામગીરી કરી હતી

