ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકસવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા.મળતા અહેવાલ પ્રમાણે ત્રણેય યુવાનો કટુડા જઈ રહ્યા હતા, તે દરમિયાન આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

