સુરેન્દ્રનગરમાંથી છેલ્લા ઘણા સમયથી ખનિજ માફિયાઓનો ભારે આતંક સામે આવી રહ્યો છે. જેને પગલે તંત્ર દ્વારા સતત કોઈને કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ખાખરાળા ગામે સ્ટોક હોલ્ડર વાળી જમીન પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં ગેરકાયદેસર કાર્બોસેલનું સંગ્રહ અને વેચાણ ઝડપાયું હતું.

