
એર ઇન્ડિયાએ 6 મે સુધી તેલ અવીવની તમામ ફ્લાઇટ્સ સ્થગિત કરી છે. એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "આજે સવારે બેન ગુરિયન એરપોર્ટ પર બનેલી ઘટના બાદ 4 મે 2025ના રોજ દિલ્હીથી તેલ અવીવ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI139ને અબુ ધાબી તરફ વાળવામાં આવી હતી. ફ્લાઇટ અબુ ધાબીમાં સામાન્ય રીતે ઉતરી ગઈ છે અને ટૂંક સમયમાં દિલ્હી પરત ફરશે. પરિણામે, અમારા ગ્રાહકો અને ક્રૂની સલામતી સુનિશ્ચિત કરવા માટે તેલ અવીવથી અમારી ફ્લાઇટ્સ તાત્કાલિક અસરથી 6 મે 2025 સુધી સ્થગિત રહેશે. અમારા સ્ટાફ ગ્રાહકોને મદદ કરી રહ્યા છે અને તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં મદદ કરી રહ્યા છે. 4 થી 6 મે 2025 ની વચ્ચે માન્ય ટિકિટ સાથે અમારી ફ્લાઇટ્સ પર બુક કરાવનારા ગ્રાહકોને રિશેડ્યુલિંગ પર એક વખતની છૂટ અથવા રદ કરવા બદલ સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. અમે પુનરાવર્તિત કરવા માંગીએ છીએ કે એર ઇન્ડિયામાં, અમારા ગ્રાહકો અને ક્રૂની સલામતી સૌથી વધુ પ્રાથમિકતા છે."
https://twitter.com/ANI/status/1918988145565065387
એરપોર્ટ બંધ કરાયું
ઈઝરાયલી પોલીસે જણાવ્યું હતું કે, તેલ અવીવમાં સ્થિત ઈઝરાયલનું મુખ્ય એરપોર્ટ આ હુમલા બાદ બંધ કરવામાં આવ્યું છે. યમનથી મિસાઈલ હુમલો થયા બાદ એર ટ્રાફિક અને અન્ય ગતિવિધિઓ અટકાવી દેવામાં આવી છે. અંતિમ તપાસ બાદ એરપોર્ટ ફરી શરૂ કરવામાં આવશે.
સાતગણું નુકસાન કરવાની ચીમકી
ઈઝરાયલના રક્ષા મંત્રી ઈઝરાયલ કાટ્ઝે આ હુમલાની નિંદા કરતાં ચીમકી આપી છે કે, જેણે પણ અમને આ નુકસાન પહોંચાડ્યું છે, અમે તેને સાત ગણું નુકસાન પહોંચાડીશું. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ મામલે સાંજે સાત વાગ્યે મહત્ત્વની બેઠક બોલાવી છે. જેમાં હુથી વિદ્રોહીઓ વિરૂદ્ધ કાર્યવાહી મુદ્દે ચર્ચા કરશે.