
ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયા હાલમાં બર્મિંઘમમાં છે, જ્યાં તેને 2 જુલાઈથી બીજી ટેસ્ટ મેચ રમવાની છે. ટીમ ઈન્ડિયા તે ટેસ્ટ મેચની તૈયારીમાં વ્યસ્ત છે. પરંતુ, આ દરમિયાન પણ ટીમ એક ખાસ વસ્તુની ઉજવણી કરવાનું નથી ભૂલી. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડમાં T20 વર્લ્ડ કપ 2024ની જીતની ઉજવણી કરી હતી. 29 જૂને ભારતે T20 વર્લ્ડ કપ જીત્યાનું એક વર્ષ પૂર્ણ કર્યું, જે ખુશીમાં બર્મિંઘમમાં કેક કાપવામાં આવ્યું હતું. આ દરમિયાન T20Iમાંથી નિવૃત્તિ લેનારા ખેલાડીને પણ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
T20 વર્લ્ડ કપ જીતનું એક વર્ષ પૂર્ણ થયું
BCCI એ T20 ચેમ્પિયન બનવાના એક વર્ષ પૂર્ણ થયાની ખુશીમાં ટીમ ઈન્ડિયાએ જે ઉજવણી કરી છે તેનો વીડિયો શેર કર્યો છે. તે વીડિયોમાં, તમને એક નહીં પણ બે કેક જોવા મળશે. એક ટીમ ઈન્ડિયાના નામે અને બીજું T20 વર્લ્ડ કપ 2024માં તેમની સફળતાના નામે. આ પ્રસંગે, ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડીના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી.
https://twitter.com/BCCI/status/1939417752956960985
કેક કાપવા અંગે મૂંઝવણ!
ટીમ ઈન્ડિયાએ આ ખુશીના પ્રસંગે બે કેક કાપ્યા, પરંતુ કેક કાપતા પહેલા, ઘણી મૂંઝવણ હતી કે કેક કોણ કાપશે તે અંગે. ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માની કેપ્ટનશિપમાં T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. પરંતુ તે બર્મિંઘમમાં નહતો. અને તે બધી મૂંઝવણનું મૂળ હતું. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 17 વિકેટ લેનાર ખેલાડી અર્શદીપ સિંહને કેક કાપવા માટે આગળ લાવવામાં આવે છે. અર્શદીપ હજી વિચારી રહ્યો હતો ત્યારે કોઈએ જસપ્રીત બુમરાહને આગળ આવવા કહ્યું અને પછી એક કેક તેણે અને બીજું કેક મોહમ્મદ સિરાજે કાપ્યું.
પંત અને બુમરાહએ રવિન્દ્ર જાડેજાને ખુશ નિવૃત્તિની શુભેચ્છા પાઠવી
કેક કાપ્યા પછી, બધા ખેલાડીઓએ એકબીજાને કેક ખવડાવ્યું, ત્યારબાદ રિષભ પંત અને જસપ્રીત બુમરાહએ પણ રવિન્દ્ર જાડેજાને નિવૃત્તિની શુભેચ્છા પાઠવી. તમને જણાવી દઈએ કે 29 જૂન 2024ના રોજ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ, રવિન્દ્ર જાડેજાએ ક્રિકેટના આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.